PhotoGallary
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  AAPNA SAMAJ NA GARBA YOJAYEL CHE (Date)  :  07/10/2022
Event Description   :  

જ્ઞાતિ ના ગરબા 

વર્ષ 2020 અને 2021 માં વિશ્વ વ્યાપી કોરોનાને કારણે આપણે ઓનલાઇન ગરબા કરેલ હતા

માતાજીની કૃપાથી વર્ષ 2022 ના આપણા સમાજના ગરબા આવતી કાલ શનિવાર તારીખ 8 ઓક્ટોબરના રોજ અમૃતવાડી ખાતે યોજાયેલ છે 

જેમાં સાંજે 7:00 કલાકથી ભોજન ની વ્યવસ્થા શરૂ થઈ જશે 

અને રાત્રે 9 કલાકથી ગરબા શરૂ થશે 

જે અંદાજે બાર વાગ્યા સુધી ચાલશે

ગરબામાં નાના ભૂલકાઓના ગ્રુપ, યુવાનોનું ગ્રુપ અને વડીલોના ગ્રુપને 

1.બેસ્ટ પરફોર્મન્સ

2 બેસ્ટ ડ્રેસ  

3 બેસ્ટ કપલ જેવા

ઇનામો આપવામાં આવશે

તદુપરાંત આ વર્ષે એક વધારાનું પણ ઇનામ ઉમેરવામાં આવ્યું છે 

અને તે છે 

બેસ્ટ ગ્રુપનું  

એટલે આપ આપના ગ્રુપમાં પણ તમારી સ્ટાઇલ પ્રમાણે ગરબા રમી શકશો 

જ્ઞાતિના ગરબા છે ખૂબ જ આનંદ અને ઉત્સાહ હોય

દરેક જણ સમયસર આવે

વ્યવસ્થાપક કમિટીએ ચાલુ વર્ષે ભોજનમાં 

આપણા સમાજની એક જમાના ની પ્રખ્યાત અને હાલમાં લગભગ લુપ્ત થયેલ મીઠાઈ એટલે કે 

ચટાકો જેને બીજા શબ્દોમાં તીખો મઠો કહેવાય 

તેનું આયોજન કરેલ છે 

ગરબાના અંતે દૂધ પૌવા નું પણ આયોજન છે 

તો દરેક જ્ઞાતિજન સમયસર આવે અને ભરપૂર લાભ લે 

જે જ્ઞાતિજનોને પોતાના વ્યવસાયની અથવા જ્ઞાતિને ગરબા નિમિત્તે યોગદાન આપવાની ઈચ્છા હોય 

તેવો તેઓનું બેનર બનાવી અમૃતવાડી પર આજે સાંજ સુધીમાં પહોંચાડી દે

એક બેનર ના રૂપિયા 1500 નું યોગદાન આપવાનું રહેશે 

બેનર આપે બનાવવાનું રહેશે

બેનર ની સાઈઝ છ ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈનું હોવું જોઈએ 

તો ચાલો ગરબા માટે તૈયાર થઈ જઈએ