PhotoGallary
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  GNYATI NA GARBA ANE 64 KHAND NU AAYOJAN (Date)  :  08/10/2022
Event Description   :  

જ્ઞાતિ ના ગરબા

બહુચરાજી સમર્પણ ખાતે 64 ખંડનું આયોજન 

માતાજીની કૃપાથી  આપણા સમાજના ગરબા આજે શનિવાર તારીખ 8 ઓક્ટોબરના રોજ અમૃતવાડી ખાતે યોજાયેલ છે 

જેમાં સાંજે 7:00 કલાકથી ભોજન ની વ્યવસ્થા શરૂ થઈ જશે 

અને રાત્રે 9 કલાકથી ગરબા શરૂ થશે 

ગરબાના અંતે દૂધ પૌવા નું પણ આયોજન છે 

ગરબા અંદાજે બાર વાગ્યા સુધી ચાલશે

ગરબામાં 

નાના ભૂલકાઓના ગ્રુપ 

યુવાનોનું ગ્રુપ 

અને વડીલોના ગ્રુપને 

1.બેસ્ટ પરફોર્મન્સ

2 બેસ્ટ ડ્રેસ  

3 બેસ્ટ કપલ જેવા

ઇનામો આપવામાં આવશે 

તદુપરાંત આ વર્ષે એક વધારાનું પણ ઇનામ ઉમેરવામાં આવ્યું છે 

અને તે છે 

બેસ્ટ ગ્રુપનું  

એટલે આપ આપના ગ્રુપમાં પણ તમારી સ્ટાઇલ પ્રમાણે ગરબા રમી શકશો 

જ્ઞાતિના ગરબા છે ખૂબ જ આનંદ અને ઉત્સાહ હોય

દરેક જણ સમયસર આવે

બહુચરાજી સમર્પણ ખાતે 64 ખંડનું આયોજન

જ્ઞાતિની પરંપરા મુજબ દર વર્ષે આસો માસની પૂનમના દિવસે

સમર્પણ બહુચરાજીના આપણા મંદિરમાં 64 ખંડ ભરવામાં આવે છે 

આ કાર્યક્રમ આવતીકાલે રવિવારે તારીખ 9 ઓક્ટોબર ના રોજ યોજાયેલ છે 

64 ખંડ ની આરતી સવારે 11:00 કલાકે થશે 

સર્વે જ્ઞાતિજનો દર્શન નો લાભ લે

તો ચાલો ગરબા માટે તૈયાર થઈ જઈએ